રચયિતા: પૂ. ગણીવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મ.સા.
રાગ: વૈષ્ણવ જન તો તેને કહિયે જે
ચંદ્રપ્રભ ચિત્તમાં વસ્યા રે, જીવન પ્રાણ આધાર રે,
તુમ વિણ કો દીસે નહીં રે, ભવિજનને હિતકાર રે.
ચંદ્રપ્રભ ચિત્તમાં… ।।૧।।
નિશદિન સૂતાં જાગતાં, ચિત્ત ધરે તાહરું ધ્યાન રે,
રાત-દિવસ તલસે બહુ રે, રસના તુમ ગુણ ગાન રે.
ચંદ્રપ્રભ ચિત્તમાં… ।।૨।।
માહરે તુમ સમ કો નહિ, મુજ સરિખા તુજ લાખ રે,
તોહિ નિજ સેવક ગણી રે, કાંઈક કરુણા દાખ રે.
ચંદ્રપ્રભ ચિત્તમાં… ।।૩।।
અંતરજામી તું ખરો, ન ગમે બીજા નામ રે,
સેવક અવસરે આવીયો, રાખો એહની લાજ રે.
ચંદ્રપ્રભ ચિત્તમાં… ।।૪।।
કરુણાવંત કૃપા કરીને, આપો નિજપદ વાસ રે,
ઉદયરત્ન એમ ઉચ્ચરે રે, દીજે તત્વ સુવાસ રે.
ચંદ્રપ્રભ ચિત્તમાં… ।।૫।।
रचयिता: पू. गणीवर्य श्री उदयरत्न विजयजी म.सा.
राग: वैष्णव जन तो तेने कहिये जे
चंद्रप्रभ चित्तमां वस्या रे, जीवन प्राण आधार रे,
तुम विण को दीसे नहीं रे, भविजनने हितकार रे.
चंद्रप्रभ चित्तमां… ।।१।।
निशदिन सूतां जागतां, चित्त धरे ताहरुं ध्यान रे,
रात-दिवस तलसे बहु रे, रसना तुम गुण गान रे.
चंद्रप्रभ चित्तमां… ।।२।।
माहरे तुम सम को नहि, मुज सरिखा तुज लाख रे,
तोहि निज सेवक गणी रे, कांईक करुणा दाख रे.
चंद्रप्रभ चित्तमां… ।।३।।
अंतरजामी तुं खरो, न गमे बीजा नाम रे,
सेवक अवसरे आवीयो, राखो एहनी लाज रे.
चंद्रप्रभ चित्तमां… ।।४।।
करुणावंत कृपा करीने, आपो निजपद वास रे,
उदयरत्न एम उच्चरे रे, दीजे तत्व सुवास रे.
चंद्रप्रभ चित्तमां… ।।५।।
