logo
  • Home
  • Lyrics
    • જૈન સ્તવન | स्तवन | Jain Stavan
    • દીક્ષા સંયમ સ્તવન | Diksha Saiyam Stavan
    • શ્રી પાર્શ્વનાથ ભગવાન | Shree Parswanath Bhagwan
    • શ્રી આદિનાથ ભગવાન | Shree Aadinath Bhagwan
    • ગુરુ ભક્તિ સ્તવન | गुरु भक्ति स्तवन | Guru Bhakti Stavan
    • આરતી – મંગલ દીવો | All Aarti & Mangal Divo
    • જૈન સ્તુતિ | Jain Stuti
    • જૈન સૂત્ર | जैन सूत्र | Jain Sutra
    • જૈન વંદનાવલી | Jain Vandnavali
    • પચ્ચક્ ખાણ | पच्चक्खाण | Pachkhan
  • Other Info
    • જૈન પૂજા | जैन पूजा | Jain Pooja
    • જિનાલય દર્શન
    • Jain Sangeetkar & Jain Vidhikar & Artist
    • જૈન ભોજનશાળા | Jain Bhojanshala
    • જૈન પૂજન | जैन पूजन | Jain Poojan
    • Small Stories | નાની વાર્તાઓ
    • Small Speaches
    • ચાલો કંઈક જાણીયે | Lets Know Something
    • શ્રી ૧૦૮ પાર્શ્વનાથ | Shree 108 Parshwanath
    • ગુરુદેવ પરિચય | Gurudev Parichay
    • જૈન ધર્મ અનુસાર બાળકો ના નામ | Jain Baby Names
    • જૈન તીર્થ પરિચય | Jain Tirth Parichay
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • #
  • A
  • B
  • C
  • D
  • E
  • F
  • G
  • H
  • I
  • J
  • K
  • L
  • M
  • N
  • O
  • P
  • Q
  • R
  • S
  • T
  • U
  • V
  • W
  • X
  • Y
  • Z
Submit Lyric

અયોધ્યાની અનોખી કથા | Ayodhya Ni Anokhi Katha

Print

SHARE

અયોધ્યાની અનોખી કથા

અયોધ્યા લાખો જૈનો માટે પરમ વંદનીય છે. કારણ કે આ મહાન નગરી શ્રી ઋષભદેવ, શ્રી અજીતનાથ, શ્રી અભિનંદન સ્વામી, શ્રી સુમતિનાથ, અને શ્રી અનંતનાથ સ્વામી એમ પાંચ તીર્થંકરની જન્મભુમી છે.

જે ભુમીમાં એક કલ્યાણક પણ થયું હોય તો પણ તે મહાન પવિત્ર તીર્થ ગણાય છે,તો અયોધ્યામાં તો પાંચ તીર્થંકરના કુલ 19 કલ્યાણક થયેલ છે! માટે જૈનો માટે પણ અયોધ્યા મહાન તીર્થ છે. અયોધ્યા નગરી કેટલી પ્રાચીન છે? શું સંસ્કૃતિની શરુઆત અયોધ્યાથી થઈ હતી? ગંગા નદીનું નામ જાહ્નવી,અને ભાગીરથી કેમ પડ્યું? આવા અનેક પ્રશ્નોના જવાબો આપણે વૈદિક અને જૈન ધર્મના ગ્રંથોના આધારે જાણીએ. શ્રી નાભિ કુલકરના પત્ની મરુદેવીના પુત્ર એટલે ઋષભદેવ ભગવાન! તેમના પુત્ર ભરત ચક્રવર્તીના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડેલ છે.

આ વાત વૈદિક ધર્મના ભાગવત પુરાણ,ઋગ્વેદ, યજુર્વેદ, માર્કન્ડેય પુરાણ,વાયુ મહાપુરાણ, તથા જૈન ધર્મના અનેક ગ્રંથોમાં લખેલી છે. રાજા ઋષભ અયોધ્યાનગરીના અને જગતના પ્રથમ રાજા હતા.

યુગલિક કાળ પુર્ણ થવાથી કલ્પવૃક્ષ મનવાંછિત ફળ આપતા બંધ થયા,એટલે રાજા ઋષભે લોકોને અસી,મસી,અને કૃષિ શીખવાડી. સ્ત્રીઓની 64,અને પુરુષોની 72 કલા,તથા શિલ્પ વિગેરેની તમામ કલા આ જગતમાં સર્વ પ્રથમ રાજા ઋષભે અયોધ્યામાંથી શીખવાડેલી.આમ સંસ્કૃતિનું પારણું એટલે અયોધ્યા! રાજા ઋષભ પછી તેમના પુત્ર ભરત ચક્રવર્તી અયોધ્યાની ગાદીએ આવેલા.

તેમના પરથી આ દેશ ભારત કહેવાયો. તેમના પછી તેમના પુત્ર આદિત્ય યશ રાજા અયોધ્યાની ગાદીએ આવેલા.આદિત્ય એટલે સુર્ય.એટલે તેમનો વંશ સુર્યવંશી ગણાયો! પછી અસંખ્ય રાજાઓ થયા.પછી જિતશત્રુ રાજા થયા.

તેમણે તેમના પુત્ર અજીતને ગાદીએ બેસાડીને જૈન દીક્ષા લીધી. અજીત રાજા પણ ઘણો કાળ રાજ કરીને દીક્ષા લઈને શ્રી અજીતનાથ નામે બીજા તીર્થંકર થયા. તેમના પછી તેમના પિત્રાઈ ભાઇ સગર ચક્રવર્તી અયોધ્યાની ગાદીએ આવ્યા.

તેમને જહનુ કુમાર વિગેરે 60,000 પુત્રો હતા. એક વખત તે બધા પુત્રો શ્રી ઋષભદેવની નિર્વાણભુમી અષ્ટાપદ તીર્થે કે જે અયોધ્યાથી ઈશાન દિશામાં 12 યોજના દુર હતો ત્યાં ગયા. તેમણે ભરત ચક્રવર્તી દ્વારા નિર્મિત રત્નમય સિંહ નિષધા પ્રાસાદના દર્શન કર્યા. અષ્ટાપદતીર્થની સુરક્ષા માટે જહનુ કુમાર વિગેરે 60 હજાર પુત્રોએ ગંગા નદીના પ્રવાહને ખાઈ ખોદીને અષ્ટાપદ પાસે લાવ્યો.એટલે ગંગા નદીનું એક નામ જાહ્નવી કહેવાયું.

પણ તેના કારણે નાગ નિકાયના દેવો ત્રાસ પામ્યા.એટલે જ્વલન પ્રભ નામના નાગે 60,000 પુત્રોને બાળી નાખ્યા.ફકત ભગીરથ અને ભીમ એમ બે ભાઈ બચી ગયા. ગંગાનું પાણી અષ્ટાપદ પાસે ભરાઈ જવાથી અનેક જનપદો (ચોક્કસ ક્ષેત્રો) માં વિનાશ વેરાણો. સગર ચક્રવર્તીએ તે જનપદોને બચાવવા પોતાના પુત્ર ભગીરથને દંડરત્ન આપીને ગંગાના પ્રવાહને સમુદ્ર સુધી લઈ જવાની આજ્ઞા આપી.

ભગીરથે અતિશય પુરુષાર્થ કર્યો એટલે આજે પણ અતિશય પુરુષાર્થ માટે ભગીરથ પુરુષાર્થ શબ્દ વપરાય છે. ભગીરથ રાજાએ ગંગાના પ્રવાહને સમુદ્ર સુધી પહોંચાડી દીધો.એટલે ગંગા નદીનું નામ ભાગીરથી પડ્યું. આધાર: વિ.સં.732 માં શ્રી સંઘદાસ ગણિ વિરચિત વાસુદેવ- હીંડી ગ્રંથ.

આવી તો સેંકડો ઘટનાઓ અયોધ્યા નગરી સંબંધિત છે. સ્વાધ્યાય સમુચ્ચય ગ્રંથમાં અયોધ્યાના ઇક્ષ્વાકુ ભુમી,કોશલા, ઉત્તર કોશલા, વિનિતા, અબધ્યા, રામપુરી, સાકેત, જેવા નામો મળે છે.

આજે પણ અયોધ્યાના કટરા મહોલ્લા સ્થિત જીનાલયમાં શ્રી અજીતનાથ ભગવાનના પ્રતિમાજી બિરાજમાન છે. જેમના નામથી પાલિતાણા નામ પડ્યું તેવા શ્રી પાદલિપ્ત સુરીજીનો જન્મ અયોધ્યામાં થયેલ.

આધાર: શ્રી વિમલચંદજી વેદમુથ્થા સંપાદિત પુસ્તક: णमो तिथ्थस्स આવી છે અયોધ્યા નગરીની અનોખી કથા.

અયોધ્યાની અનોખી કથા | Ayodhya Ni Anokhi Katha

અયોધ્યાની અનોખી કથા

અયોધ્યા લાખો જૈનો માટે પરમ વંદનીય છે. કારણ કે આ મહાન નગરી શ્રી ઋષભદેવ, શ્રી અજીતનાથ, શ્રી અભિનંદન સ્વામી, શ્રી સુમતિનાથ, અને શ્રી અનંતનાથ સ્વામી એમ પાંચ તીર્થંકરની જન્મભુમી છે.

જે ભુમીમાં એક કલ્યાણક પણ થયું હોય તો પણ તે મહાન પવિત્ર તીર્થ ગણાય છે,તો અયોધ્યામાં તો પાંચ તીર્થંકરના કુલ 19 કલ્યાણક થયેલ છે! માટે જૈનો માટે પણ અયોધ્યા મહાન તીર્થ છે. અયોધ્યા નગરી કેટલી પ્રાચીન છે? શું સંસ્કૃતિની શરુઆત અયોધ્યાથી થઈ હતી? ગંગા નદીનું નામ જાહ્નવી,અને ભાગીરથી કેમ પડ્યું? આવા અનેક પ્રશ્નોના જવાબો આપણે વૈદિક અને જૈન ધર્મના ગ્રંથોના આધારે જાણીએ. શ્રી નાભિ કુલકરના પત્ની મરુદેવીના પુત્ર એટલે ઋષભદેવ ભગવાન! તેમના પુત્ર ભરત ચક્રવર્તીના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડેલ છે.

આ વાત વૈદિક ધર્મના ભાગવત પુરાણ,ઋગ્વેદ, યજુર્વેદ, માર્કન્ડેય પુરાણ,વાયુ મહાપુરાણ, તથા જૈન ધર્મના અનેક ગ્રંથોમાં લખેલી છે. રાજા ઋષભ અયોધ્યાનગરીના અને જગતના પ્રથમ રાજા હતા.

યુગલિક કાળ પુર્ણ થવાથી કલ્પવૃક્ષ મનવાંછિત ફળ આપતા બંધ થયા,એટલે રાજા ઋષભે લોકોને અસી,મસી,અને કૃષિ શીખવાડી. સ્ત્રીઓની 64,અને પુરુષોની 72 કલા,તથા શિલ્પ વિગેરેની તમામ કલા આ જગતમાં સર્વ પ્રથમ રાજા ઋષભે અયોધ્યામાંથી શીખવાડેલી.આમ સંસ્કૃતિનું પારણું એટલે અયોધ્યા! રાજા ઋષભ પછી તેમના પુત્ર ભરત ચક્રવર્તી અયોધ્યાની ગાદીએ આવેલા.

તેમના પરથી આ દેશ ભારત કહેવાયો. તેમના પછી તેમના પુત્ર આદિત્ય યશ રાજા અયોધ્યાની ગાદીએ આવેલા.આદિત્ય એટલે સુર્ય.એટલે તેમનો વંશ સુર્યવંશી ગણાયો! પછી અસંખ્ય રાજાઓ થયા.પછી જિતશત્રુ રાજા થયા.

તેમણે તેમના પુત્ર અજીતને ગાદીએ બેસાડીને જૈન દીક્ષા લીધી. અજીત રાજા પણ ઘણો કાળ રાજ કરીને દીક્ષા લઈને શ્રી અજીતનાથ નામે બીજા તીર્થંકર થયા. તેમના પછી તેમના પિત્રાઈ ભાઇ સગર ચક્રવર્તી અયોધ્યાની ગાદીએ આવ્યા.

તેમને જહનુ કુમાર વિગેરે 60,000 પુત્રો હતા. એક વખત તે બધા પુત્રો શ્રી ઋષભદેવની નિર્વાણભુમી અષ્ટાપદ તીર્થે કે જે અયોધ્યાથી ઈશાન દિશામાં 12 યોજના દુર હતો ત્યાં ગયા. તેમણે ભરત ચક્રવર્તી દ્વારા નિર્મિત રત્નમય સિંહ નિષધા પ્રાસાદના દર્શન કર્યા. અષ્ટાપદતીર્થની સુરક્ષા માટે જહનુ કુમાર વિગેરે 60 હજાર પુત્રોએ ગંગા નદીના પ્રવાહને ખાઈ ખોદીને અષ્ટાપદ પાસે લાવ્યો.એટલે ગંગા નદીનું એક નામ જાહ્નવી કહેવાયું.

પણ તેના કારણે નાગ નિકાયના દેવો ત્રાસ પામ્યા.એટલે જ્વલન પ્રભ નામના નાગે 60,000 પુત્રોને બાળી નાખ્યા.ફકત ભગીરથ અને ભીમ એમ બે ભાઈ બચી ગયા. ગંગાનું પાણી અષ્ટાપદ પાસે ભરાઈ જવાથી અનેક જનપદો (ચોક્કસ ક્ષેત્રો) માં વિનાશ વેરાણો. સગર ચક્રવર્તીએ તે જનપદોને બચાવવા પોતાના પુત્ર ભગીરથને દંડરત્ન આપીને ગંગાના પ્રવાહને સમુદ્ર સુધી લઈ જવાની આજ્ઞા આપી.

ભગીરથે અતિશય પુરુષાર્થ કર્યો એટલે આજે પણ અતિશય પુરુષાર્થ માટે ભગીરથ પુરુષાર્થ શબ્દ વપરાય છે. ભગીરથ રાજાએ ગંગાના પ્રવાહને સમુદ્ર સુધી પહોંચાડી દીધો.એટલે ગંગા નદીનું નામ ભાગીરથી પડ્યું. આધાર: વિ.સં.732 માં શ્રી સંઘદાસ ગણિ વિરચિત વાસુદેવ- હીંડી ગ્રંથ.

આવી તો સેંકડો ઘટનાઓ અયોધ્યા નગરી સંબંધિત છે. સ્વાધ્યાય સમુચ્ચય ગ્રંથમાં અયોધ્યાના ઇક્ષ્વાકુ ભુમી,કોશલા, ઉત્તર કોશલા, વિનિતા, અબધ્યા, રામપુરી, સાકેત, જેવા નામો મળે છે.

આજે પણ અયોધ્યાના કટરા મહોલ્લા સ્થિત જીનાલયમાં શ્રી અજીતનાથ ભગવાનના પ્રતિમાજી બિરાજમાન છે. જેમના નામથી પાલિતાણા નામ પડ્યું તેવા શ્રી પાદલિપ્ત સુરીજીનો જન્મ અયોધ્યામાં થયેલ.

આધાર: શ્રી વિમલચંદજી વેદમુથ્થા સંપાદિત પુસ્તક: णमो तिथ्थस्स આવી છે અયોધ્યા નગરીની અનોખી કથા.

અમારો પરિચય/About US

Jain Stavan Lyrics website was started in 2019 by the inspiration of Jain Shasan. Jain Stavan Lyrics website would be the largest Jain Stavan collection website in the world within short time.

 

Subscribe for Newsletter



    RSS Recently Added Lyrics

    • તું છે મુજને સૌથી પ્યારો | Tu Che Mujane Sau Thi Pyaaro
    • સ્નાતસ્યા સ્તુતિ | स्नातस्या स्तुति | Snatasya Stuti
    • શ્રી સકલાર્હત્ સ્તોત્ર | श्री सकलार्हत् स्तोत्र | Shree Saklarhat Stotra
    • તમે ભગવાન અમારા | Tame Bhagwan Amara
    • નિરંજનનાથ મોહે કૈસે મિલેંગે | Niranjan Nath Mohe Kese
    • ગિરિવર પર બેઠા છે આદિનાથ | Girivar Par Betha Che Adinath
    • મારે તો લેવાની લેવાની છે દીક્ષા | Mare To Levani Che Diksha
    • તમને જોયા પછી | Tamne Joya Pachi

    Follow Us

    Get In Touch





      © 2019-2020 Jain Stavan Lyrics. ALL RIGHT RESERVED.
      Made with ❤ by PRAXINFO