(રચના: પ. પૂ. શ્રી ઉદયરત્ન વિજયજી મ. સા.)
“વારાહી મંડણ શ્રી શાંતિજિન સ્તુતિ પંચક“
છ’રી પાલતા શ્રી સંઘમાં નિશ્રા મળી છે જેમને;
નિશંક તે વાતાવરણ માંગલ્યથી સરભર બને.
જ્યાં આપશ્રી પગલાં કરો ત્યાં પ્રગટતો અમૃત-ઝરો…
વારાહીનાં શાંતિ પ્રભુ શ્રી સંઘની રક્ષા કરો… (૧)
સાંન્નિધ્ય જેનું પામતા સહુ જીવને શાંતિ થતી;
સાંન્નિધ્ય જેનું પામતા કદી આપદા ન આવતી.
સાંન્નિધ્ય દેજો આપનું ને દોષ સઘળા સંહરો;
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો… (૨)
જ્યાં પરભવે પારેવડું આવ્યું હતું તારી કને;
ત્યારે તમે એને ઉગાર્યું અશ્રુભીના લોચને.
ઉત્સંગમાં લઈને મને એવી રીતે કરુણા કરો;
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો… (૩)
આ વિશ્વમાં મહામારી કે હો યુદ્ધની સંભાવના;
ને આર્તનાદોથી ભરેલી વ્યાધિ કે વિડંબના,
મારા પ્રભુનું ન્હવણજળ આ જગતનું મંગલ કરો.
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો… (૪)
હે નાથ સોનેરી તમારો દેહ કેવો ઝળહળે;
ને આપના ભીના નયનથી સર્વને શાતા મળે.
જેણે કરી છે પ્રાર્થના તે ‘ઉદય’ પામ્યા મુનિવરો
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો… (૫)
(रचना: प. पू. श्री उदयरत्न विजयजी म. सा.)
“वाराही मंडण श्री शांतिजिन स्तुति पंचक“
छ’री पालता श्री संघमां निश्रा मळी छे जेमने;
निशंक ते वातावरण मांगल्यथी सरभर बने.
ज्यां आपश्री पगलां करो त्यां प्रगटतो अमृत-झरो…
वाराहीनां शांति प्रभु श्री संघनी रक्षा करो… (१)
सांन्निध्य जेनुं पामता सहु जीवने शांति थती;
सांन्निध्य जेनुं पामता कदी आपदा न आवती.
सांन्निध्य देजो आपनुं ने दोष सघळा संहरो;
वाराहीनां शांतिप्रभु श्री संघनी रक्षा करो… (२)
ज्यां परभवे पारेवडुं आव्युं हतुं तारी कने;
त्यारे तमे एने उगार्युं अश्रुभीना लोचने.
उत्संगमां लईने मने एवी रीते करुणा करो;
वाराहीनां शांतिप्रभु श्री संघनी रक्षा करो… (३)
आ विश्वमां महामारी के हो युद्धनी संभावना;
ने आर्तनादोथी भरेली व्याधि के विडंबना,
मारा प्रभुनुं न्हवणजळ आ जगतनुं मंगल करो.
वाराहीनां शांतिप्रभु श्री संघनी रक्षा करो… (४)
हे नाथ सोनेरी तमारो देह केवो झळहळे;
ने आपना भीना नयनथी सर्वने शाता मळे.
जेणे करी छे प्रार्थना ते ‘उदय’ पाम्या मुनिवरो
वाराहीनां शांतिप्रभु श्री संघनी रक्षा करो… (५)