(રચના : પ. પૂ. પન્યાસ ઉદયરત્નવિજયજી મ. સા.)
જે ના પાવન પગલાં થી, ધરતી ધબકાર કરે
ને વીર પ્રભુ નો વેશ ધરી, સંયમ શણગાર કરે
દેવો પણ… સાધુ જીવન નો…
જય જયકાર કરે… (4)
કોઈ ભક્ત બની ને આવે
અરે આવે આવે આવે… (2)
પણ મન માં હે મુનિવર ના
હરખાવે ના હરખાવે… (2)
કોઈ ઉપસર્ગો વરસાવે… (2)
એની હૈયું તો, રમતું સમતા ભાવે…
સન્માન અને અપમાન ભૂલી, સરખો ઉપકાર કરે
દેવો પણ… સાધુ જીવન નો…
જય જયકાર કરે… (4)
દીક્ષા લઇ ને અણગારા
અણગારા રે અણગારા… (2)
ભિક્ષા માટે ઘર-ઘર માં
ફરનારા એ ફરનારા… (2)
મળશે તો સંયમ વૃદ્ધિ… (2)
ના મળશે તો માને તપ ની વૃદ્ધિ…
એ રાગ વિના ને દ્વેષ વિના, સહુનો સ્વીકાર કરે
દેવો પણ… સાધુ જીવન નો…
જય જયકાર કરે… (4)
કોઈ નિંદે ને કોઈ વંદે
હા વંદે રે ભાઈ વંદે… (2)
ભીતર-થી રહે આનંદે
આનંદે રે આનંદે… (2)
મુનિવર જંગમ તીરથ છે… (2)
મારે રેહવું છે, મુનિવર ના સંબધે…
મુનિરાજ તણા આ જીવન થી, ઉદય ભવપાર કરે
દેવો પણ… સાધુ જીવન નો…
જય જયકાર કરે… (4)
(रचना : प. पू. पन्यास उदयरत्नविजयजी म. सा.)
जे ना पावन पगलां थी, धरती धबकार करे
ने वीर प्रभु नो वेश धरी, संयम शणगार करे
देवो पण… साधु जीवन नो…
जय जयकार करे… (4)
कोई भक्त बनी ने आवे
अरे आवे आवे आवे… (2)
पण मन मां हे मुनिवर ना
हरखावे ना हरखावे… (2)
कोई उपसर्गो वरसावे… (2)
एनी हैयुं तो, रमतुं समता भावे…
सन्मान अने अपमान भूली, सरखो उपकार करे
देवो पण… साधु जीवन नो…
जय जयकार करे… (4)
दीक्षा लइ ने अणगारा
अणगारा रे अणगारा… (2)
भिक्षा माटे घर-घर मां
फरनारा ए फरनारा… (2)
मळशे तो संयम वृद्धि… (2)
ना मळशे तो माने तप नी वृद्धि…
ए राग विना ने द्वेष विना, सहुनो स्वीकार करे
देवो पण… साधु जीवन नो…
जय जयकार करे… (4)
कोई निंदे ने कोई वंदे
हा वंदे रे भाई वंदे… (2)
भीतर-थी रहे आनंदे
आनंदे रे आनंदे… (2)
मुनिवर जंगम तीरथ छे… (2)
मारे रेहवुं छे, मुनिवर ना संबधे…
मुनिराज तणा आ जीवन थी, उदय भवपार करे
देवो पण… साधु जीवन नो…
जय जयकार करे… (4)